નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 2024 નું કાર્યક્રમ ઓફિસિયલ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેની માહિતી તમને આ પોસ્ટ પર મળશે.
- ધોરણ 10 બોર્ડ પરીક્ષા માર્ચ 2024 નો કાર્યક્રમ (ટાઈમતેબલ)
- ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષા માર્ચ 2024 ટાઈમ ટેબલ
- ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા ને લઈ અગત્યની સૂચનાઓ.
(1) પરીક્ષાથીઓએ પોત જે માધ્યમના ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિપયાના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વારે, સમય બાબત પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
(2) પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.
(3) પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
(4) પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ આઠ કેલ્કયુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિક્સ સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે પેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
(5) પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
(6) સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (147) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓએ ON LINE તા. 07-03-2024 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
(7) વ્યવસાયલક્ષી પ્રવાહનો કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને પુરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 07-03-2024 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષા 2024 ટાઈમ ટેબલ
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષા માટે અગત્યના સૂચનો
1. તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે.
2. કમ્પ્યૂટર એજ્યુકેશન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે.
3. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે.
4. બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3-00 થી 3-15નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો PART-A તથા PART-Bના વાંચન માટે આપવામાં આવશે. જ્યારે 3-15 થી 4-15 OMRમાં PART-Aના જવાબો લખવા માટે આપવામાં આવશે.
5. 6. 4-15 થી 4-30 દરમિયાન PART-Aની OMR એકત્રિત કરવા તથા PART-B માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનું રહેશે. 4-30 થી 6-30નો સમય PART-B ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6-30 કલાકે પરીક્ષા પૂર્ણ થશે.
7. OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી ભૂરી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. 8. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણવિજ્ઞાન (053), ભૌતિકવિજ્ઞાન (055) અને જીવવિજ્ઞાન (057) વિષયોની પ્રાયોગિક પરીક્ષા બોર્ડ
દ્વારા ફેબ્રુઆરી 2024માં લેવામાં આવશે,
9. કમ્પ્યૂટર એજ્યુકેશન (પ્રાયોગિક) (332) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવાની રહેશે અને જેના ગુણ શાળાએ બોર્ડને તા. 7-3-2024 સુધીમાં ON LINE મોકલવાના રહેશે.
10. પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
11. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
12, પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ધડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતાં પ્રાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.